હાલમાં જ પાટીદાર સમાજની સંસ્થાએ આ આંદોલનમાં મધ્યસ્થી બનવા માટે ટેકો જાહેર કર્યો , ત્યારે " સૌરાષ્ટ્ર પાટીદાર સેવા સમિતિ " આ વાતોનો સખત વિરોધ કરે છે અને પોતાના રાજકીય સ્વાર્થ માટે પોતાના "રાજકીય રોટલા " શેકવા આવેલા સંસ્થાના આગેવાનોને જણાવે છે, આ આંદોલન યુવાનોનું છે અને આંદોલનની સફળતા પણ યુવાનોની જ રહેશે.
ઉમિયા પરિવાર ટ્રસ્ટ પણ આ અંદોલનમાં પોતાના આગેવાનોનું રાજકીય ભવિષ્ય ચોક્કસ બનવા માટે પોતાનો ટેકો જાહેર કરશે, પણ પાટીદાર સમાજને અમારી નમ્ર વિનંતી કે ટેકાની "લોલીપોપ" લેશો નહિ જ્યાં સુધી આગેવાનો આંદોલન કરીને ટેકો જાહેરના કરે. આ ટ્રસ્ટના આગેવાનો પોતાના સ્વાર્થ ખાતર જો ટેકો આપતા હોય તો તેમનો કહેવા માત્રના ટેકાની આ પાટીદારના યુવાનોને જરૂર નથી. આમ પણ સમાજના આગેવાનોએ સમાજના નામે "ઉઘરાણા" કરી સમાજ હિત માટે ના ક્યાં કાર્યો કર્યા ? અત્યાર સુધી આ સમાજના આગેવાનો ક્યાં હતા ? જયારે આમાં રાજકીય રોટલા શેકવાની તક મળતા જ તેઓ આંદોલનમાં કહેવા માત્રનો ટેકો આપવા પહોચી ગયા.
સમાજના આગેવાનો જો ખરેખરમાં ટેકો આપવા માંગતા જ હોય તો આંદોલનકારી યુવાનોની સાથે આંદોલનમાં જોડાયને ટેકો આપે.
જય ઉમાખોડલ
જય પાટીદાર
સૌરાષ્ટ્ર પાટીદાર સેવા સમિતિ